8 Janaral Nolej Mcq Gujarati (જનરલ નોલેજ MCQ)

8 Janaral Nolej Mcq Gujarati
8 Janaral Nolej Mcq Gujarati

8 Janaral Nolej Mcq Gujarati, જનરલ નોલેજ MCQ, જનરલ નોલેજ mcq pdf, જનરલ નોલેજના પ્રશ્નો pdf, સામાન્ય જ્ઞાન MCQ, સામાન્ય જ્ઞાન mcq pdf, સામાન્ય જ્ઞાન mcq gujarati medium

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે જનરલ નોલેજ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :જનરલ નોલેજ
ભાગ :8
MCQ :351 થી 400

8 Janaral Nolej Mcq Gujarati (351 To 360)

(351) કલિકાલ સર્વજ્ઞ- આચાર્ય હેમચંદ્રાચાર્ય જયંતિ કયા દિવસે આવે છે?

(A) ચૈત્રી સુદ પૂનમ

(B) વૈશાખ સુદ પૂનમ

(C) શરદ પૂર્ણિમા

(D) કારતક સુદ પૂનમ

ઉત્તર : (D) કારતક સુદ પૂનમ

(352) ચૈત્ર સુદ તેરસના દિવસે સામુદાયિક શાસ્ત્ર પૂજાનો મહોત્સવ જૈનો દ્વારા મનાવવામાં આવે છે, તે જૈનના કયા તીર્થકરનો જન્મદિન છે?

(A) ઋષભ દેવ

(B) પાર્શ્વનાથ

(C) ધર્મનાથ

(D) મહાવીર સ્વામી

ઉત્તર : (D) મહાવીર સ્વામી

(353) મહુડી (મધુપુરી) તીર્થમાં ઘંટાકર્ણ મહાવીરની પ્રતિમાની સ્થાપના કયા જૈન સાધુ ભગવંતે કરાવી હતી?

(A) રામસુરિશ્વરજી

(B) બુધ્ધિસાગર સૂરિજી

(C) ચંદ્રશેખરજી

(D) આમાંનું કોઈ સાચું નથી.

ઉત્તર : (B) બુધ્ધિસાગર સૂરિજી

(354) ભગવાન સોમનાથની પ્રતિષ્ઠા કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવી હતી?

(A) સર્વપલ્લી રાધાકૃષ્ણન

(B) વી.વી. ગિરિ

(C) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(D) ચક્રવર્તી રાજગોપાલાચારી

ઉત્તર : (C) ડૉ. રાજેન્દ્રપ્રસાદ

(355) પટોળાં તો પાટણના, બાંધણી તો જામનગરની તો અકીક કયાંના?

(A) સુરત

(B) રાજકોટ

(C) પાલનપુર

(D) ખંભાત

ઉત્તર : (D) ખંભાત

(356) ગોફ-ગૂંથણ એ એક પ્રકારનું વિશિષ્ટ નૃત્ય ગુજરાતના કયા પ્રદેશનું છે?

(A) સૌરાષ્ટ્ર

(B) ઉત્તર પ્રદેશ

(C) મધ્ય ગુજરાત

(D) દક્ષિણ ગુજરાત

ઉત્તર : (A) સૌરાષ્ટ્ર

(357) નીચેનામાંથી કઈ નવલિકા ક.મા.મુન્શીની નથી?

(A) રાજાધિરાજ

(B) પાટણની પ્રભુતા

(C) જય સોમનાથ

(D) રાઈનો પર્વત

ઉત્તર : (D) રાઈનો પર્વત

(358) ગાંધીજી માટે ‘‘ગુજરાતનો તપસ્વી’’ કાવ્ય કયા કવિએ લખ્યું હતું?

(A) ઝવેરચંદ મેઘાણી

(B) કાન્ત

(C) કલાપી

(D) ન્હાનાલાલ

ઉત્તર : (D) ન્હાનાલાલ

(359) ક્રાંતિગાનથી છલોછલ ‘‘યુગ વંદના” કોની રચના છે?

(A) ણ્હાનાલાલ

(B) કાન્ત

(C) કલાપી

(D) ઝવેરચંદ મેઘાણી

ઉત્તર : (D) ઝવેરચંદ મેઘાણી

(360) નર્મદા નદી અનેક પર્વતમાળાઓમાંથી પસાર થઈ સહસ્ત્રધારાનું રૂપ લે છે, તેનું વર્ણન કાલીદાસે નીચેનામાંથી શેમાં કર્યું છે?

(A) કુમારસંભવ

(B) માલવિકાગ્નિમિત્રમ

(C) અભિજ્ઞાન શાંકુતલમ

(D) મેઘદૂત

ઉત્તર : (D) મેઘદૂત

(361) કાયાવરોહણ એ કયા ભગવાનનું જન્મસ્થાન છે?

(A) ભગવાન વિષ્ણુ

(B) ભગવાન રામ

(C) ભગવાન દત્ત

(D) ભગવાન લકુલીશ

ઉત્તર : (D) ભગવાન લકુલીશ

(362) ભવાઈના જેણે 360 વેશો રચ્યા હતા તે શ્રીમાળી બ્રાહ્મણ અસાઈત કયા નગરના છે?

(A) પાટણ

(B) સિધ્ધપુર

(C) વડનગર

(D) સુરેન્દ્રનગર

ઉત્તર : (B) સિધ્ધપુર

(363) મણિપુર નૃત્યમાં જગવિખ્યાત નીચેનામાંથી કોણ છે?

(A) ઝવેરી બહેનો

(B) મલ્લિકા સારાભાઈ

(C) કુમુદિની લાખિયા

(D) પદ્માબહેન ફડિયા

ઉત્તર : (A) ઝવેરી બહેનો

(364) ‘‘રંગભૂમિના મીરાંબાઈ’’ નું બિરુદ મેળવનારા હોનહાર સમર્થ અભિનેત્રી નીચેનામાંથી કોણ છે?

(A) મલ્લિકા સારાભાઈ

(B) અરુણા ઈરાની

(C) દામિની મહેતા

(D) એસ્થર ડેવિડ

ઉત્તર : (C) દામિની મહેતા

(365) સૌરાષ્ટ્રનું પહેલું પ્રધાનમંડળ કોના મુખ્યમંત્રી પદે રચાયું હતું?

(A) રસીકલાલ પરીખ

(B) ભાઈલાલભાઈ પટેલ

(C) ઉચ્છંગરાય ઢેબર

(D) આમાંનું કોઈ સાચું નથી.

ઉત્તર : (C) ઉચ્છંગરાય ઢેબર

(366) 1લી મે, 1960 ના રોજ ગુજરાતમાં કેટલા જીલ્લા હતા?

(A) 16

(B) 21

(C) 25

(D) 19

ઉત્તર : (D) 19

(367) વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો ખંડ કયો?

(A) અમેરિકા

(B) યુરોપ

(C) એશિયા

(D) આફ્રિકા

ઉત્તર : (C) એશિયા

(368) કઈ સંસ્કૃતિના લોકો દ્વારા ભારતીય સંસ્કૃતિને એક નવો આકાર અપાયો છે?

(A) ગ્રીસ

(B) યુરોપ

(C) ઈજિપ્ત

(D) સિંધુખીણની સંસ્કૃતિ

ઉત્તર : (D) સિંધુખીણની સંસ્કૃતિ

(369) નીચેનામાંથી કોને ‘‘લોકમાતા’’ કહેવામાં આવે છે?

(A) દેવીઓને

(B) પંચતંત્રની વાર્તાઓને

(C) નદીઓને

(D) ધાર્મિક કથાઓને

ઉત્તર : (C) નદીઓને

(370) નીચેનામાંથી કયા વૃક્ષને “પવિત્ર વૃક્ષ” તરીકે ગણવામાં આવે છે?

(A) કેરી

(B) લીમડો

(C) બાવળ

(D) વડ

ઉત્તર : (D) વડ

(371) નીચેનામાંથી કોનામાંથી ભારતીય સંસ્કૃતિ અનોખી સંસ્કૃતિ હોવાના દ્રષ્ટાંતો મળી આવે છે?

(A) પુરાણો

(B) વેદો

(C) રામાયણ

(D) પંચતંત્રની વાર્તાઓ

ઉત્તર : (D) પંચતંત્રની વાર્તાઓ

(372) ‘‘નટરાજ’’ નૃત્યના ભગવાન તરીકે નીચેનામાંથી કોણ જાણીતું છે?

(A) વિષ્ણુ

(B) શંકર

(C) બ્રહ્મા

(D) ઈન્દ્ર

ઉત્તર : (B) શંકર

(373) નીચેનામાંથી કયો વેદ “સંગીતની ગંગોત્રી” તરીકે જાણીતો છે?

(A) યજુર્વેદ

(B) સામવેદ

(C) અર્થવવેદ

(D) ઋગ્વેદ

ઉત્તર : (B) સામવેદ

(374) સંગીત અને કવિતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ કોણ તુતી-એ- હિંદ (Parrot of India) તરીકે પ્રખ્યાત છે?

(A) અબુલ ફઝલ

(B) અમીર ખુશરો

(C) અકબર

(D) ત્રણેય વિકલ્પ ખોટા છે.

ઉત્તર : (B) અમીર ખુશરો

(375) ભરત નાટ્ટયમ્ નૃત્યનું મૂળ ઉદ્દગમ માટેનું નગર કયું?

(A) તાંજોર

(B) કોચી

(C) બેંગ્લોર

(D) તિરુવનંતપુરમ્

ઉત્તર : (A) તાંજોર

(376) ‘‘સંગીત મકરંદ” ની રચના નીચેના પૈકી કોણે કરી હતી?

(A) નારદ

(B) પંડિત સારંગદેવ

(C) પંડિત વિષ્ણુનારાયણ

(D) પંડિત અહોબલ

ઉત્તર : (A) નારદ

(377) “નાટ્યશાસ્ત્ર” ના રચયિતા નીચેનામાંથી કોણ છે?

(A) ભરતમુનિ

(B) નંદિકેશ્વર

(C) વાર્તાસાયન

(D) ચાણકય

ઉત્તર : (A) ભરતમુનિ

(378) ‘‘કુચિપુડી’’ નૃત્યનું બીજુ નામ શું છે?

(A) કથા

(B) અષ્ટ ભગવતમ્

(C) કથ્થકલી

(D) ભકિતમ્

ઉત્તર : (B) અષ્ટ ભગવતમ્

(379) પ્રાચીન ભારત કયા નામે જાણીતું હતું?

(A) સોને કી ચિડિયા

(B) સંસ્કૃતિનો દેશ

(C) ઉગતા સૂર્યનો દેશ

(D) આથમતા સૂર્યનો દેશ

ઉત્તર : (A) સોને કી ચિડિયા

(380) પુરાણો પ્રમાણે પ્રાચીન ભારતમાં કલાના કેટલા પ્રકારો વિશેની જાણકારી મળે છે?

(A) 32

(B) 64

(C) 72

(D) 36

ઉત્તર : (B) 64

(381) ગુજરાતમાં પટોળા બનાવવાની કળા કેટલા વર્ષ જૂની હોવાનું મનાય છે?

(A) 200 વર્ષ

(B) 400 વર્ષ

(C) 1200 વર્ષ

(D) 850 વર્ષ

ઉત્તર : (D) 850 વર્ષ

(382) કયાંની મલમલ વિશે એવું કહેવાતું કે તે એક વીંટીમાંથી પસાર થઈ શકતી?

(A) ઢાકા

(B) રોમ

(C) આગ્રા

(D) શ્રીલંકા

ઉત્તર : (A) ઢાકા

(383) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીક માટે પ્રખ્યાત છે?

(A) સુરત

(B) પાલનપુર

(C) પાટણ

(D) ખંભાત

ઉત્તર : (D) ખંભાત

(384) જરદોસી કામ માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?

(A) સુરત

(B) ખંભાત

(C) પાલનપુર

(D) રાજકોટ

ઉત્તર : (A) સુરત

(385) પાષાણ યુગના ગુફા ચિત્રોમાં નીચેના પૈકી કોના સ્કેચ જોવા મળતાં?

(A) નૃત્ય

(B) પક્ષીઓ અને પ્રાણીઓ

(C) ફળો

(D) રજવાડી દ્રશ્યો

ઉત્તર : (B) પક્ષીઓ અને પ્રાણીઓ

(386) સંગીતમાં મુખ્ય રાગ કેટલા છે?

(A) 3

(B) 5

(C) 6

(D) 7

ઉત્તર : (B) 5

(387) તાનસેન અને બૈજુબાવરાના ગુરુ કોણ?

(A) પંડિત અહોબલ

(B) પંડિત સારંગદેવ

(C) સ્વામી હરિદાસ

(D) સ્વામી રામગોપાલ

ઉત્તર : (C) સ્વામી હરિદાસ

(388) ‘‘સંગીત પારિજાત” ના રચયિતા નીચેનામાંથી કોણ?

(A) નારદ

(B) પંડિત સારંગદેવ

(C) પંડિત અહોબલ

(D) પંડિત રામગોપાલ

ઉત્તર : (C) પંડિત અહોબલ

(389) ‘‘ભરતનાટ્ટયમ્” નૃત્ય માટે જાણીતો પ્રદેશ નીચેનામાંથી કયો?

(A) ઓરિસ્સા

(B) મણિપુર

(C) આંધ્રપ્રદેશ

(D) તામિલનાડુ

ઉત્તર : (D) તામિલનાડુ

(390) વાઈલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એકટ પસાર કર્યો?

(A) 1972

(B) 1982

(C) 1962

(D) 1992

ઉત્તર : (A) 1972

(391) ફતેહપુર સિક્રિનો બુલંદ દરવાજો અન્ય કયા નામેથી જાણીતો છે?

(A) મુમતાઝ મહલનો મહેલ

(B) જોધાબાઈનો મહેલ

(C) રઝિયા બેગમનો મહેલ

(D) રોશન આરાનો મહેલ

ઉત્તર : (B) જોધાબાઈનો મહેલ

(392) ભવનાથનો મેળો નીચેનામાંથી કયા સ્થળે યોજાય છે?

(A) પાવાગઢ

(B) તરણેતર

(C) વૌઠા

(D) જૂનાગઢ

ઉત્તર : (D) જૂનાગઢ

(393) નીચેનામાંથી કયું મૌર્ય વંશનો ઉત્તમ કોટિનો સ્થાપત્યનો નમૂનો ગણી શકાય?

(A) દ્વારકાનું મંદિર

(B) મહાબલીપુરમના રથ મંદિરો

(C) સાંચીનો સ્તૂપ

(D) પેગોડા

ઉત્તર : (A) દ્વારકાનું મંદિર

(394) નીચેનામાંથી કયો પ્રાચીન ગ્રીક રાજ હતો?

(A) મિનેન્દર

(B) પુષ્યમિત્ર

(C) વિજય દેવરાય

(D) રુદ્રદામન

ઉત્તર : (A) મિનેન્દર

(395) અજંતા ઈલોરાની ગુફાઓ નીચેનામાંથી કયા સ્થળે આવેલી છે?

(A) ઔરંગાબાદ

(B) મુંબઈ

(C) વારાણસી

(D) ગ્વાલિયર

ઉત્તર : (A) ઔરંગાબાદ

(396) “આરસ પર કોતરાયેલી કવિતા’’ તરીકે નીચેનામાંથી કયા મંદિરો જાણીતા છે?

(A) ખજૂરાહો

(B) દેલવાડા

(C) અજંતાની ગુફાઓના

(D) સમ્મેત શિખર

ઉત્તર : (B) દેલવાડા

(397) ‘‘બ્લેક પેગોડા” તરીકે જાણીતું મંદિર નીચેનામાંથી કયું?

(A) કોરણાકનું સૂર્ય મંદિર

(B) મોઢેરાનું સૂર્ય મંદિર

(C) અજંતાના ગુફા ચિત્રો

(D) ખજૂરાહોના મંદિર

ઉત્તર : (A) કોરણાકનું સૂર્ય મંદિર

(398) ઈલોરાની ગુફાઓ નીચેનામાંથી કોણે બાંધી હતી?

(A) ચંદેલ રાજા

(B) ચાલુકય રાજા

(C) રાષ્ટ્રકૂટ રાજાઓ

(D) પલ્લવ રાજાઓ

ઉત્તર : (C) રાષ્ટ્રકૂટ રાજાઓ

(399) મથુરા કઈ નદીના તીરે આવેલું છે?

(A) યમુના

(B) ગંગા

(C) નર્મદા

(D) મહા

ઉત્તર : (A) યમુના

(400) ‘‘શ્રી શીલપ્પદીકારમ’’ અને ‘‘મણિ મેખલાઈ” એ મહત્વના ગ્રંથો કયા સાહિત્યનું પ્રદાન છે?

(A) કેરળ

(B) તામિલ

(C) સંસ્કૃત

(D) પ્રાકૃત

ઉત્તર : (B) તામિલ

Also Read :

જનરલ નોલેજ MCQ ભાગ : 7

જનરલ નોલેજ MCQ ભાગ : 9

error: Content is protected !!
Scroll to Top