Class 8 Science Chapter 4 Swadhyay (ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય)

Class 8 Science Chapter 4 Swadhyay
Class 8 Science Chapter 4 Swadhyay

Class 8 Science Chapter 4 Swadhyay

Class 8 Science Chapter 4 Swadhyay. Std 8 Science Chapter 4 Swadhyay. ધોરણ 8 વિજ્ઞાન વિષયના એકમ 4 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય.

Class 8 Science Chapter 4 Swadhyay

સ્વાધ્યાય

પ્રશ્ન 1. જે શરતો હેઠળ દહન થઈ શકે છે, તેની યાદી બનાવો.

ઉત્તર : દહન માટેની શરતો : (1) દહનશીલ પદાર્થની હાજરી (2) હવાનો પુરવઠો (ઑક્સિજન, જે દહનક્રિયામાં મદદ કરે છે.) (3) જ્વલનબિંદુની પ્રાપ્તિ

પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરોઃ

(અ) લાકડું અને કોલસાના દહનથી હવા…………થાય છે.

ઉત્તર : પ્રદૂષિત

(બ)……………..એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે.

ઉત્તર : કેરોસીન

(ક) બળતણ સળગે તે પહેલાં તેને તેના………..સુધી ગરમ કરવું અનિવાર્ય છે.

ઉત્તર : જ્વલનબિંદુ

(ડ) તેલથી લાગેલી આગને……………વડે નિયંત્રિત કરી શકાય નહિ.

ઉત્તર : પાણી

પ્રશ્ન 3. વાહનોમાં CNG વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે, તે સમજાવો.

ઉત્તર : વાહનોમાં CNG વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાનાં કારણો : (1) CNGનું દહન સંપૂર્ણ થાય છે. (2) તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત્ ઉત્પન્ન કરે છે. (3) તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. (4) CNG એ સ્વચ્છ બળતણ છે.

પ્રશ્ન 4. બળતણ તરીકે LPG અને લાકડાની સરખામણી કરો.

ઉત્તર :

LPG

(1) વાયુરૂપી બળતણ છે.

(2) દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી.

(3)તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી.

(4) તેનું દહન સહેલાઈથી થાય છે.

(5) તેનું જ્વલનબિંદુ નીચું છે.

(6) તેનું દહન નહિવત્ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે.

(7) તેનું કૅલરી મૂલ્ય લાકડાના કૅલરી મૂલ્ય કરતાં વધારે છે.

લાકડું

(1) ઘન બળતણ છે.

(2) દહન બાદ રાખ અવશેષ રૂપેરહે છે.

(૩) તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે.

(4) તેનું દહન થતાં ઘણી વારલાગે છે.

(5) તેનું જ્વલનબિંદુ ઊંચું છે.

(6) તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે.

(7) તેનું કૅલરી મૂલ્ય LPGના કૅલરી મૂલ્ય કરતાં ઓછું છે.

પ્રશ્ન 5. કારણો આપો :

(અ) વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.

ઉત્તર : (1) પાણી વિદ્યુતનું વહન કરે છે. (2) વિદ્યુતનાં સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતાં આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુતપ્રવાહ દાખલ થાય છે. પરિણામે વીજળીનો આંચકો લાગે છે.

આ કારણે વિદ્યુતનાં સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી.

(બ) લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.

ઉત્તર : (1) લાકડા કરતાં LPGનું કૅલરી મૂલ્ય ઘણું વધારે છે. (2) લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે LPGના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત્ ઉત્પન્ન થાય છે. (3) લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે LPGના દહનનું નિયંત્રણ કરી શકાય છે. (4) લાકડાનું જ્વલનબિંદુ LPGના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે. આ કારણે લાકડા કરતાં LPG એ ઘરવપરાશનું વધુ સારું બળતણ છે.

(ક) કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ ઍલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. સમજાવો.

ઉત્તર : (1) કાગળનું જ્વલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. (2) ઍલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટાળેલો કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી. કારણ કે, ઍલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી ઍલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલદીથી સળગતો નથી.

પ્રશ્ન 6. મીણબત્તીની જ્યોતની નામનિર્દેશવાળી આકૃતિ દોરો :

ઉત્તર :

Class 8 Science Chapter 4 Swadhyay
Class 8 Science Chapter 4 Swadhyay

પ્રશ્ન 7. બળતણનું કૅલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો.

ઉત્તર : બળતણનું કૅલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજૂલ પ્રતિ કિગ્રા (kJ/kg) છે.

પ્રશ્ન 8. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે, તે સમજાવો

ઉત્તર : ( 1 ) CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહનપોષક નથી. તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે. (2) CO2 વાયુ ઑક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને ધાબળાની માફક લપેટે છે. (૩) બળતણ અને ઑક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ, CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે.

પ્રશ્ન 9. લીલાં પાંદડાંના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકાં પાંદડાં સરળતાથી આગ પકડી લે છે. સમજાવો.

ઉત્તર : લીલાં પાંદડાંમાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતાં નથી. સૂકાં પાંદડાંમાં ભેજ હોતો નથી. તેથી તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે.

પ્રશ્ન 10. સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગાળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે?

ઉત્તર : સોનું અને ચાંદી પીગાળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપ્તોજ્જવલ બને છે. સોની ફૂંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતાં, ફૂંકણી મારફતે મળતી હવાથી, મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે. જે સોના અને ચાંદીને પીગાળે છે.

[નોંધ : પાઠ્યપુસ્તકમાં આપેલી માહિતી ‘સોની જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે.’ આ માહિતી સાચી નથી. કારણ કે, જ્યોતનો બહારનો ભાગ બહુ નાનો છે.]

પ્રશ્ન 11. એક પ્રયોગમાં 4.5 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180,000 kJ નોંધાઈ. બળતણનું કૅલરી મૂલ્ય શોધો.

ઉત્તર : બળતણનું કુલ દળ = 4.5 કિગ્રા

ઉત્પન્ન થયેલી ઉષ્મા = 180,000 kJ

બળતણનું કૅલરી મૂલ્ય = ઉત્પન્ન થયેલી ઉષ્મા / બળતણનું કુલ દળ

= 180,000 kJ / 4.5 kg

= 40,000 kJ/kg

= બળતણનું કૅલરી મૂલ્ય = 40,000 kJ/kg છે.

પ્રશ્ન 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો.

ઉત્તર : કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહિ, કારણ કે, કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતાં નથી. દહનક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. (કાટ લાગવાની ક્રિયાને મંદદહન કહી શકાય.)

પ્રશ્ન 13. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતાં. જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે?

ઉત્તર : રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું.

Also Read :

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 સ્વાધ્યાય

Leave a Reply