Class 6 Social Science Chapter 4 Swadhyay (ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય)

Class 6 Social Science Chapter 4 Swadhyay
Class 6 Social Science Chapter 4 Swadhyay

Class 6 Social Science Chapter 4 Swadhyay

Class 6 Social Science Chapter 4 Swadhyay. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના એકમ 4 નું સ્વાધ્યાય વાંચી અને લખી શકશો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 4 સ્વાધ્યાય.

ધોરણ : 6

વિષય : સામાજિક વિજ્ઞાન

એકમ : 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

સત્ર : પ્રથમ

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો :

(1) મહાજનપદ કેટલાં હતાં?

(A) 17

(B) 18

(C) 16

(D) 19

ઉત્તર : (C) 16

(2) મહાજનપદો કયા કાળમાં હતાં?

(A) આધુનિક

(B) વૈદિક

(C) અનુવૈદિક

(D) મધ્યકાલીન

ઉત્તર : (C) અનુવૈદિક

(3) નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?

(A) મગધ

(B) કોસલ

(C) વત્સ

(D) વૈશાલી

ઉત્તર : (D) વૈશાલી

(4) જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર

ઉત્તર : (B) બે

પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો :

(1) રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.

ઉત્તર : રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે

રાજાશાહી રાજ્યવ્યવસ્થા

(1) રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે.

(2) રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે.

(3) તેમાં રાજાને રાજ્યવહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે.

(4) તેમાં રાજાનું પદ વંશપરંપરાગત હોય છે.

લોકશાહી રાજ્યવ્યવસ્થા

(1) લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે.

(2) લોકશાહીમાં ગૃહનો વડો (પ્રમુખ) મુખ્ય હોય છે.

(3) તેમાં પ્રમુખ (ગૃહ) ને રાજ્યવહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે.

(4) તેમાં પ્રદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.

(2) ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતાઓ જણાવો.

ઉત્તર : ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી :

(1) ગણરાજ્યોનો વહીવટ સભા કરતી. વહીવટની બધી સત્તા સભાના સભ્યો ભોગવતા. (2) સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. (3) ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. (4) સભાનું સ્થળ ‘સંથાગાર’ (નગરભવન) તરીકે ઓળખાતું. (5) ગણરાજ્યનો રાજ્યવહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી. (6) સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી. (7) સભામાં રાજ્યવહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્ત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતીએ નિર્ણય લેવામાં આવતો. આમ, ગણરાજ્યોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.

(3) ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.

ઉત્તર : ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું : (1) ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદાં ઘરોમાં રહેતા હતા. (2) તેઓ પશુપાલન કરતા હતા. (3) લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. (4) તેઓ માટીનાં વાસણોનો વધારે ઉપયોગ કરતા. (5) વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ‘ચિત્રિત ઘૂસરપાત્રો’ તરીકે ઓળખાતાં. (6) રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. (7) ખેડૂતો પોતાની જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા. (8) કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. (9) પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા. (10) વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કર આપતા. (11) આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો. (12) આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.

પ્રશ્ન 3. “અ” વિભાગમાં આપેલાં રાજ્યોનાં નામ સામે “બ” વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર લખો :

વિભાગ “અ”

(1) મગધ

(2) ગાંધાર

(3) વત્સ

(4) અવંતિ

વિભાગ “બ”

(a) કૌશામ્બી

(b) ઉજ્જયિની

(c) રાજગૃહ

(d) તક્ષશિલા

ઉત્તર : (1 – c), (2 – d), (3 – a), (4 – b)

Also Read :

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 15 સ્વાધ્યાય