6 Bharat Nu Bandharan MCQ Gujarati (ભારતનું બંધારણ MCQ)

6 Bharat Nu Bandharan MCQ Gujarati
6 Bharat Nu Bandharan MCQ Gujarati

6 Bharat Nu Bandharan MCQ Gujarati, ભારતનું બંધારણ MCQ, બંધારણ જનરલ નોલેજ MCQ, Bharat Nu Bandharan In Gujarati, Bharat Nu Bandharan, Bharat nu Bandharan PDF Gujarati, ભારતનું બંધારણ ગુજરાતી pdf, બંધારણ જનરલ નોલેજ.

નમસ્કાર મિત્રો ! આ પોસ્ટમાં તમે ભારતનું બંધારણ MCQ પ્રશ્નો અને જવાબો વાંચી શકશો. આ MCQ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

વિષય :ભારતનું બંધારણ
ભાગ : 6
MCQ :251 થી 300
6 Bharat Nu Bandharan MCQ Gujarati

6 Bharat Nu Bandharan MCQ Gujarati (251 To 260)

(251) “રાજય સેવા આયોગની સ્થાપના બંધારણનાં કયા આર્ટીકલ હેઠળ કરવામાં આવે છે?

(A) 314

(B) 315 (1)

(C) 316 (1)

(D) 317(1)

જવાબ : (B) 315 (1)

(252) રાજયસેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે?

(A) માન. કાયદામંત્રીશ્રી

(B) માન. મુખ્યમંત્રીશ્રી

(C) માન. ગવર્નર શ્રી

(D) માન. રાષ્ટ્રપતિશ્રી

જવાબ : (C) માન. ગવર્નર શ્રી

(253) કૉમ્ટ્રોલર અને ઑડીટર જનરલ હિસાબો સંબંધનો રાજય સંબંધિત અહેવાલ કોને સાદર કરે છે?

(A) માન. રાષ્ટ્રપતિ

(B) માન. રાજયપાલ શ્રી

(C) માન. મુખ્યમંત્રીશ્રી

(D) માન. નાણામંત્રીશ્રી

જવાબ : (B) માન. રાજયપાલ શ્રી

(254) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હક્કો નીચે દર્શાવેલ ક્યાં કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા?

(A) રેગ્યુલેટીંગ એકટ, 1773

(B) ચાર્ટર એક્ટ, 1813

C)ચાર્ટર એકટ, 1833

(D) ચાર્ટર એકટ, 1853

જવાબ : (B) ચાર્ટર એક્ટ, 1813

(255) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઇ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ – 45 માં દર્શાવેલ છે, તે જોગવાઇ કઇ તારીખથી અમલમાં આવેલ છે?

(A) તા.1-4-2010

(B) તા.1-1-2010

(C) તા.1-4-2011

(D) 1-1-2011

જવાબ : (A) તા.1-4-2010

(256) કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે?

(A) 42 માં

(B) 43 માં

(C) 44 માં

(D) 45 માં

જવાબ : (A) 42 માં

(257) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજ દર્શાવી છે?

(A) 10

(B) 12

(C) 11

(D) 14

જવાબ : (C) 11

(258) નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી?

(A) લોકસભા

(B) રાજયસભા

(C) રાષ્ટ્રપતિ

(D) ઉપરાષ્ટ્રપતિ

જવાબ : (D) ઉપરાષ્ટ્રપતિ

(259) લોકસભાનું સત્ર બોલાવવું અને સત્ર સમાપ્ત કરવું તે અધિકાર કોનો છે?

(A) લોકસભાના સ્પીકર

(B) રાષ્ટ્રપતિ

(C) વડાપ્રધાન

(D) સંસદીય બાબતોના મંત્રી

જવાબ : (B) રાષ્ટ્રપતિ

(260) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે?

(A) મહારાષ્ટ્ર

(B) ગોવા

(C) દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી

(D) ઉપર ત્રણેય વિકલ્પમાં દર્શાવેલ

જવાબ : (D) ઉપર ત્રણેય વિકલ્પમાં દર્શાવેલ

6 Bharat Nu Bandharan MCQ Gujarati (261 To 270)

(261) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે?

(A) 24

(B) 29

(C) 32

(D) 35

જવાબ : (A) 24

(262) મૂળભૂત ફરોજોનો વિચાર ક્યા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે?

(A) યુ.કે.

(B) યુ.એસ.એ.

(C) રશિયા

(D) આયરલેન્ડ

જવાબ : (C) રશિયા

(263) બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?

(A) શ્રી જવાહરલાલ નેહરુ

(B) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(C) ડૉ. ભીમરાવ આંબેડકર

(D) શ્રી એમ.એન.રોય

જવાબ : (D) શ્રી એમ.એન.રોય

(264) 1959માં પંચાયતીરાજની સ્થાપના ક્યા પ્રથમ રાજ્યમાં થઈ?

(A) ગુજરાત

(B) ઉત્તરપ્રદેશ

(C) આંધ્રપ્રદેશ

(D) રાજસ્થાન

જવાબ : (D) રાજસ્થાન

(265) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના ક્યા આર્ટીકલની સાથે રહી રચાયો છે?

(A) 21A

(B) 22A

(C) 23A

(D) 24A

જવાબ : (A) 21A

6 Bharat Nu Bandharan MCQ Gujarati
6 Bharat Nu Bandharan MCQ Gujarati

(266) રાઈટ ટુ એજ્યુકેશન અધિનિયમ, 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની સગવડ છે?

(A) 10 થી 12 વર્ષ

(B) 06 થી 14 વર્ષ

(C) 01 થી 10 વર્ષ

(D) 07 થી 18 વર્ષ

જવાબ : (B) 06 થી 14 વર્ષ

(267) રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો?

(A) 2005

(B) 2006

(C) 2009

(D) 2010

જવાબ : (C) 2009

(268) રાઈટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે…………….% સીટો અનામત રાખવામાં આવે છે.

(A) 10

(B) 20

(C) 25

(D) 30

જવાબ : (C) 25

(269) ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો?

(A) 2 વર્ષ 2 મહિના 12 દિવસ

(B) 2 વર્ષ 11 મહિના 11 દિવસ

(C) 2 વર્ષ 2 મહિના 10 દિવસ

(D) 2 વર્ષ 11 મહિના 18 દિવસ

જવાબ : (D) 2 વર્ષ 11 મહિના 18 દિવસ

(270) ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે?

(A) ત્રીજા

(B) ચોથા

(C) પાંચમા

(D) છઠ્ઠા

જવાબ : (C) પાંચમા

6 Bharat Nu Bandharan MCQ Gujarati (271 To 280)

(271) ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે?

(A) 10

(B) 11

(C) 12

(D) 13

જવાબ : (C) 12

(272) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહી અને હોય તો કઈ કલમમાં છે?

(A) કલમ – 51 A

(B) કલમ – 41

(C) કલમ – 24

(D) બંધારણમાં જોગવાઈ નથી

જવાબ : (C) કલમ – 24

(273) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી?

(A) સામાજિક વીમો

(B) સામાજિક સેવાઓ

(C) ગરીબી નિવારણના કાર્યક્રમો

(D) સામાજિક વહીવટ

જવાબ : (D) સામાજિક વહીવટ

(274) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે?

(A) 334

(B) 338

(C) 330

(D) 332

જવાબ : (B) 338

(275) ચૂંટણીમાં મતદાન માટે 21 વર્ષની ઉંમરને બદલે 18 વર્ષની ઉંમર ક્યા સુધારા મુજબ કરવામાં આવી?

(A) 61મો સુધારો

(B) 63મો સુધારો

(C) 60મો સુધારો

(D) 62મો સુધારો

જવાબ : (A) 61મો સુધારો

6 Bharat Nu Bandharan MCQ Gujarati
6 Bharat Nu Bandharan MCQ Gujarati

(276) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો?

(A) 1951

(B) 1953

(C) 1956

(D) 1960

જવાબ : (A) 1951

(277) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું?

(A) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

(B) ડૉ. બી.આર.આંબેડકર

(C) જવાહરલાલ નહેરુ

(D) ડૉ. સચ્ચિદાનંદ સિંહ

જવાબ : (C) જવાહરલાલ નહેરુ

(278) માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે?

(A) 30 કલાક

(B) 24 કલાક

(C) 48 કલાક

(D) 12 કલાક

જવાબ : (C) 48 કલાક

(279) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ   અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે?

(A) 338

(B) 330

(C) 332

(D) 334

જવાબ : (A) 338

(280) અસ્પૃશ્યતા નાબૂદીની કલમ કઈ છે?

(A) કલમ 16

(B) કલમ 17

(C) કલમ 18

(D) કલમ 14

જવાબ : (B) કલમ 17

6 Bharat Nu Bandharan MCQ Gujarati (281 To 290)

(281) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે?

(A) 306

(B) 370

(C) 311

(D) 309

જવાબ : (A) 306

(282) ભારતીય બંધારણની જોગવાઈ હેઠળ ક્યા આધારે કોઈપણ જાતિને લઘુમતી કોમ જાહેર કરી શકાય છે?

(A) ફક્ત ભાષાના આધારે

(B) ભાષા અથવા જાતિના આધારે

(C) ફક્ત ધર્મના આધારે

(D) ભાષા અથવા ધર્મના આધારે

જવાબ : (D) ભાષા અથવા ધર્મના આધારે

(283) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા?

(A) 380

(B) 389

(C) 390

(D) 391

જવાબ : (B) 389

(284) બંધારણની કઈ જોગવાઈમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સુવિધા છે?

(A) 381

(B) 382

(C) 338

(D) 384

જવાબ : (C) 338

(285) અનુસૂચિત જનજાતિના રક્ષણ માટે બંધારણનું ક્યું શિડ્યુલ સમર્પિત છે?

(A) શિડ્યુલ 1 અને 2

(B) શિડ્યુલ 2 અને 3

(C) શિડ્યુલ 3 અને 4

(D) શિડ્યુલ 5 અને 6

જવાબ : (D) શિડ્યુલ 5 અને 6

(286) ભારતના બંધારણમાં અનુ.જાતિઓ અને અનુ.જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 કઈ સાલથી અમલમાં છે?

(A) 1989

(B) 1990

(C) 1991

(D) 1992

જવાબ : (B) 1990

(287) બંધારણના ક્યા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે?

(A) અનુચ્છેદ – 14

(B) અનુચ્છેદ – 15

(C) અનુચ્છેદ – 16

(D) અનુચ્છેદ – 17

જવાબ : (C) અનુચ્છેદ – 16

(288) સમાન કામ માટે સમાન વેતન ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક………….

(A) મૂળ અધિકાર છે.

(B) આર્થિક અધિકાર છે.

(C) મૂળ કર્તવ્ય છે.

(D) રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

જવાબ : (D) રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.

(289) બંધારણ (ભારતના)ના મૂળભૂત હક્કોમાં શોષણ વિરૂદ્ધનો હક્ક ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

(A) 19 થી 22

(B) 23 થી 24

(C) 29 થી 30

(D) 32

જવાબ : (B) 23 થી 24

(290) ભારતીય બંધરણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે?

(A) ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ/જનજાતિને પ્રવેશમાં આરક્ષણ

(B) લોકસભા/રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ

(C) ભાષાન્ત સમાવિષ્ઠી

(D) જમીન સુધારણા

જવાબ : (A) ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ/જનજાતિને પ્રવેશમાં આરક્ષણ

6 Bharat Nu Bandharan MCQ Gujarati (291 To 300)

(291) ધર્મ, જાતિ, જન્મસ્થળ વગેરેને લઈને કોઈ પણ ભેદભાવ થવો ન જોઈએ એ બાબત બંધારણના ક્યા અનુચ્છેદમાં દર્શાવેલ છે?

(A) 10

(B) 13

(C) 15

(D) 20

જવાબ : (C) 15

(292) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે?

(A) 22

(B) 19

(C) 25

(D) 18

જવાબ : (B) 19

(293) લોકસભાના સભ્ય થવા માટેની લઘુત્તમ વય કેટલા વર્ષની છે?

(A) 25

(B) 35

(C) 30

(D) 28

જવાબ : (A) 25

(294) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન ક્યા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે?

(A) 352

(B) 360

(C) 356

(D) 359

જવાબ : (C) 356

(295) ભારતના બંધારણને અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે?

(A) આદિવાસી વિસ્તારો

(B) જમ્મુ-કાશ્મીરનો વિસ્તાર

(C) હિમાલયના પહાડી વિસ્તાર

(D) જંગલ વિસ્તાર

જવાબ : (A) આદિવાસી વિસ્તારો

(296) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે?

(A) સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

(B) પછાતવર્ગના સંસદ સભ્ય

(C) કેન્દ્ર સરકારના અગ્રસચિવ

(D) જાણીતા સમાજવિજ્ઞાની

જવાબ : (A) સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

(297) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે?

(A) ગૃહની કામકાજ સમિતી

(B) પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય

(C) સંસદીય બાબતોના મંત્રીશ્રી

(D) સ્પીકર

જવાબ : (D) સ્પીકર

(298) ભારતની સંસદમાં સંઘપ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે?

(A) 20 સભ્યો

(B) 15 સભ્યો

(C) 13 સભ્યો

(D) 17 સભ્યો

જવાબ : (A) 20 સભ્યો

(299) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું?

(A) 26-01-1950

(B) 26-01-1949

(C) 26-11-1949

(D) 26-11-1950

જવાબ : (C) 26-11-1949

(300) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર ક્યો છે?

(A) સ્વાતંત્ર્યનો અધિકાર

(B) કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર

(C) ગુનાઓ માટે દોષસિદ્ધિ સબંધમાં રક્ષણ

(D) જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ

જવાબ : (C) ગુનાઓ માટે દોષસિદ્ધિ સબંધમાં રક્ષણ

Also Read :

ભારતનું બંધારણ MCQ ભાગ : 7

ભારતનું બંધારણ MCQ
ગુજરાતની ભૂગોળ MCQ
સામાન્ય વિજ્ઞાન MCQ
6 Bharat Nu Bandharan MCQ Gujarati